आदमी बुलबुला है पानी का
और पानी की बहती सतह पर टूटता भी है, डूबता भी है,
फिर उभरता है, फिर से बहता है,
न समंदर निगला सका इसको, न तवारीख़ तोड़ पाई है,
वक्त की मौज पर सदा बहता – आदमी बुलबुला है पानी का।
ज़िंदगी क्या है जानने के लिए,
जिंदा रहना बहुत जरूरी है।
आज तक कोई भी रहा तो नहीं॥
सारी वादी उदास बैठी है,
मौसम-ए-गुल ने खुदकुशी कर ली।
किसने बारूद बोया बागों में॥
आओ हम सब पहन लें आईनें,
सारे देखेंगे अपना हीं चेहरा।
सब को सारे हसीं लगेंगे यहाँ॥
हैं नहीं जो दिखाई देता है,
आईने पर छपा हुआ चेहरा।
तर्जुमा आईने का ठीक नहीं॥
हमको ग़ालिब ने ये दुआ दी थी,
तुम सलामत रहो हजार बरस।
ये बरस तो फ़क़त दिनों में गया॥
लब तेरे मीर ने भी देखे हैं,
पंखुरी इक गुलाब की सी है।
बातें सुनते तो ग़ालिब हो जाते॥
ऎसे बिखरे हैं रात-दिन जैसे,
मोतियों वाला हार टूट गया।
મને ગમતી વધુ એક સુંદર રચના !! વિટંબણાઓ અને વિરોધાભાસો નું સુંદર શાબ્દિક નિરૂપણ !!
તેમાં પણ શ્યામલ-સોમિલ મુનશી નો સ્વર એટલે જાણે કે સોના મા સુગંધ !
—————————————————————————————————–
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.
સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.
પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.
આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.
-વિવેક મનહર ટેલર
(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)
Recent Comments