મારા એક પરમ મિત્ર જે સ્વભાવે અને કર્મે ” વાણીયા” છે..એમને…હા…એમને મને આ ફોરવર્ડ કર્યું છે….નવાઈ લાગે છે કે જે વાણીયા થી પૈસા ના છૂટે ઈ પૈસા ના વિષે આવા ખયાલ ધરાવે છે…ખેર આ વિચારો ભલે ઉદ્ધાર ના હોય પણ સારા છે આથી તમારી સાથે વહેચી રહ્યો છું…આ કવિતા ના રચનાકાર ને મારા સલામ !!!! હવે જુવો…
“મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન
અઢી કિલો હોય છે.
અને જ્યારે અગ્નિ સસ્કાર બાદ
તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.
જિંદગીનું પહેલું કપડુ જેનું નામ ઝભલું,
જેમાં ખિસ્સું ન હોય
જે જિંદગીનું છેલ્લું કાપડ કફન,
એમાંય ખિસ્સું ન હોય.
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?
આટાલા દગા અને પ્રપચ શા માટે?
લોહી લેતા પહેલા ગ્રુપ ચેક કરાય છે,
પૈસા લેતા જરાક ચેક કરશો,
એ કયા ગ્રુપનો છે?
ન્યાયનો છે? હાયનો છે? કે હરામનો છે?
અને ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી જ
આજે ઘરમાં અશાંતી,ક્લેશ,કકાસ છે.
હરામનો ને હાયનો પૈસો,
જીમખાના ને દવાખાના,ક્લબો ને બારમાં,
પૂરો થઇ જશે.
…ને તનેય પૂરો કરી જશે..!
બેન્ક બેલેન્સ વધે પણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય,
તો સમજવું કે પૈસો આપણને સૂટ નથી થયો.”
હવે આ વિચારો માત્ર બ્લોગ માંય ના રીંગના ના બની રહે અને તમારા જીવન ને સંતૃપ્ત કરતુ , તર બતર કરતુ “શાક” બને એટલે બસ…
યાદ રાખો માત્ર પૈસા થી જ બધી ચીજો નથી ખરીદી શકાતી…પૈસા થી પણ ઉપર કૈંક છે જે વધારે મહત્વ નું છે….
Recent Comments