સંજોગ જોડે સમજૂતી કરતા મેં શીખી લીધું છે,
જે છે તેમાં ખુશ રહેતા મેં શીખી લીધું છે.
હર નવપ્રભાતે કંઈક શીખતા રહેવાનું મેં શીખી લીધું છે,
કર્મ ના અધિકારી બની આગળ વધવાનું મેં શીખી લીધું છે.
નાહકની પિષ્ટપીંજણ ટાળવાનું મેં શીખી લીધું છે,
બાવીસ વર્ષ ના જીવનમાં ‘જીવન જીવવાનું’ મેં શીખી લીધું છે.
– જગત નિરુપમ
(તા. ૨૨-૧૧-૨૦૦૯,૧૧.૦૦ PM)
( તૃતીય પદ્યાંશ )
Recent Comments